Search This Blog

Saturday, 4 June 2022

જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે.

એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુ માં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવા નુ ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગ થી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે તો પછી તે યુવતી એ તેમને પૂછ્યું "મેં તમારી સાથે આવુ દુષ્કર્મ કર્યું છતાં તમે ચૂપ છો? તમે કોઇ ફરિયાદ કેમ ન કરી ?"

 

વૃદ્ધ મહિલાએ હસીને જવાબ આપ્યો :

 

"આટલી નાની-નાની બાબતોમાં અને અસભ્યતા પર ચર્ચા કરવાની મને જરૂર જ ના લાગી. કારણ કે મારી તમારી સાથેની આ સફર બહુ ટૂંકી છે અને હું આગળના સ્ટોપ પર જ ઉતરી જવાની છું."

 

 આ જવાબ સુવર્ણ અક્ષરે લખવા લાયક છે.

 

"આવી તુચ્છ બાબત પર ચર્ચા કરવાની જરૂર જ નથી, કારણ કે મારો તમારી સાથેનો પ્રવાસ બહુ ટૂંકો છે"

 

આપણે દરેકે આ સમજવું એટલુ જ જરુરી છે કે આ દુનિયામાં આપણો સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, ઈર્ષ્યા, અન્યોને માફ ન કરવા, નારાજગી અને ખરાબ વર્તન પાછળ વ્યર્થ થાય તે યોગ્ય તો ના જ ગણાય.

 

કોઈએ તમારું હૃદય તોડ્યું છે ? શાંત રહો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.

 

શું કોઈએ તમને છેતર્યા, ધમકાવ્યા અથવા અપમાનિત કર્યા છે? આરામ કરો. તણાવ ન કરો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.

 

કોઈ કારણ વગર તમારું અપમાન કરે છે ? શાંત રહો. અવગણના કરો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.

 

કોઇ પાડોશીએ એવી ટિપ્પણી  કરી કે જે તમને પસંદ ન આવી ? -શાંત રહો, તેની તરફ ધ્યાન ન આપો. તેને માફ કરી દો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.

 

કોઈએ તમને કઈ સમસ્યા કે મુશ્કેલી આપી છે? એને ભુલી જાવ. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.

 

કોઈને ખબર નથી કે આપણી મુસાફરી કેટલી લાંબી છે. કોઈને ખબર નથી કે તે તેના અંત પર ક્યારે પહોંચશે ? તો મિત્રો અને કુટુંબીજનોની કદર કરીએ, આદર, દયાળુ અને ક્ષમાશીલ બનીએ. આખરે આપણે કૃતજ્ઞતા અને આનંદથી ભરાઈ જઈશું.

 

 તમારું સ્મિત દરેક સાથે વહેંચો. કારણ કે જીવન ની યાત્રા બહુ જ ટૂંકી છે.

 

मुसाफिर.....हुँ यारों,

ना घर है ना ठिकाना !

मुझे चलते जाना है...

बस चलते जाना ।।

हनुमान की रामायण

जब वाल्मीकि ने अपनी रामायण पूरी की, तो नारद ने कहा 'यह अच्छी है, लेकिन हनुमान की रामायण बेहतर हैं।  ' इससे वाल्मीकि हैरान रह गए और उन्होंने पाया कि एक केले के पेड़ की 7 चौड़ी पत्तियों पर हनुमानजी की रामायण अंकित है।  उन्होंने उसे पढ़ा और पाया कि वह एकदम सही है।  व्याकरण और शब्दावली, छंद और माधुर्य का सबसे उत्तम उदाहरण।  वह अभिभूत हो गए और रोने लगे।  
'क्या यह इतनी बुरी है?  ' हनुमानजी ने पूछा।  
'नहीं, यह बहुत अच्छी है', वाल्मीकि ने कहा, 
'फिर तुम क्यों रो रहे हो?  ' हनुमानजी ने पूछा।  
'क्योंकि आपकी रामायण पढ़ने के बाद कोई मेरी नहीं पढ़ेगा,' वाल्मीकि ने उत्तर दिया।  
यह सुनकर हनुमानजी ने केले के पत्ते फाड़ दिए और कहा 'अब कभी कोई मेरी रामायण नहीं पढ़ेगा! 
' ' लेकिन क्यों ?  ' वाल्मीकि ने पूछा।  
हनुमानजी ने कहा, 'तुम्हें मुझसे ज्यादा तुम्हारी रामायण की जरूरत है। तुमने अपनी रामायण इसलिए लिखी ताकि दुनिया तुम्हें याद रखे;  मैंने अपनी इसलिए लिखी ताकि श्रीराम मुझे याद रहे।'
'उस समय वाल्मीकि ने महसूस किया कि वे कैसे प्रसिद्धि की इच्छा से ग्रसित हैं।  उन्होंने स्वयं को मुक्त करने के लिए यह कार्य नहीं किया था।  जैसे उनकी रामायण महत्वाकांक्षा की उपज थी, लेकिन हनुमानजी की रामायण भक्ति की उपज थी।  इसलिए हनुमानजी की रामायण इतनी बेहतर थी। 
हमारे जीवन में हनुमान जैसे लोग हैं जो प्रसिद्ध नहीं होना चाहते हैं।  वे सिर्फ अपना काम करते हैं और अपने उद्देश्य को पूरा करते हैं।  हमारे जीवन में भी कई अनकहे 'हनुमान' हैं।  हमारे जीवनसाथी, माता-पिता, मित्र, सहकर्मी।  आइए उन्हें याद करें और उनके प्रति आभारी रहें।